logo

header-ad

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ સામે સાઉદી ક્રાઉન પ્રિન્સે કાશ્મીર મુદ્દે ભારતનું કર્યુ સમર્થન

  • Published By : Jago News
  • Updated on : 2024-04-09 19:53:39

સાઉદી: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સોમવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી હતી. શાહબાઝ 6 થી 8 એપ્રિલ સુધી 3 દિવસના પ્રવાસ પર સાઉદી અરેબિયામાં હતો. આ દરમિયાન તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ અને પંજાબ પ્રાંતના સીએમ મરિયમ નવાઝ પણ હાજર હતા. બેઠક બાદ બંને દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત અને પાકિસ્તાને પોતાના વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે. જમ્મૂ-કાશ્મીરનો આ વિવાદ આમાં સૌથી ઉપર છે. વાતચીત દ્વારા જ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવી શકે છે.

 

સાઉદી ક્રાઉન પ્રિન્સે પીએમ શાહબાઝને ઈફ્તાર માટે આમંત્રણ આપ્યું
પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ પીએમ શાહબાઝ શરીફનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. સાઉદી ક્રાઉન પ્રિન્સે તેમને રમઝાન મહિનામાં મક્કામાં ઈફ્તાર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. બહેરીનના વડાપ્રધાન અને ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ બિન અલ ખલીફાએ પણ ભોજન સમારંભમાં હાજરી આપી હતી. જિયો ન્યૂઝ અનુસાર, શાહબાઝે સાઉદી ક્રાઉન પ્રિન્સને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું. જો કે આ મુલાકાત ક્યારે થશે તે અંગેની માહિતી બહાર આવી નથી. એમબીએસે પાકિસ્તાન માટે 5 અબજ ડોલર (41.62 હજાર કરોડ)ના રોકાણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી પણ આપી હતી.

 

કલમ 370 હટાવવા પર સાઉદીએ કહ્યું- આ ભારતનો આંતરિક મુદ્દો છે
સાઉદી અરેબિયા લાંબા સમયથી ભારત સાથે સંબંધો સુધારવા પર ધ્યાન આપી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દે ઘણી વખત નિષ્પક્ષ વલણ અપનાવ્યું છે. 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સાઉદીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, તેમણે ભારત સરકારના નિર્ણયની ટીકા કરવાને બદલે તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. 2019માં જ્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાન ભારતની સરકારી મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ પાકિસ્તાન થઈને આવ્યા હતા. ભારતે ગયા વર્ષે કાશ્મીરમાં જી-20 સમિટની બેઠક યોજી હતી. જેમાં સાઉદીએ પોતાનો પ્રતિનિધિ મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.

 

Related News