logo

header-ad

ગંગા-તિસ્તાના પાણીની સમજૂતી પર પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ

  • Published By : Jago News
  • Updated on : 2024-06-25 16:59:04

કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા અને તિસ્તા નદીઓના પાણીની વહેંચણી અંગેની વાતચીત પર નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રએ પાડોશી દેશ સાથેની વાતચીતમાં રાજ્ય સરકારને સામેલ નથી કરી. જ્યારે, બંગાળ ભૌગોલિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે બાંગ્લાદેશ સાથે ખૂબ જ નજીકના સંબંધો ધરાવે છે.

મમતાએ આ અંગે સોમવારે (24 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે બાંગ્લાદેશ સાથે પાણીની વહેંચણીના મુદ્દે બંગાળ સરકારને ચર્ચામાંથી બાકાત રાખવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. મમતાએ ત્રણ પાનાના પત્રમાં કહ્યું- અમે રાજ્ય સરકારની સલાહ લીધા વિના આવી એકપક્ષીય વાતચીતને સ્વીકારતા નથી.

વાસ્તવમાં, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના 21 જૂને બે દિવસ માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને વડાપ્રધાનોએ દ્વિપક્ષીય બેઠકમાં તિસ્તા નદીના સંરક્ષણ અને વ્યવસ્થાપન અને 1996ની ગંગા જળ સંધિના નવીકરણ અંગે પણ ચર્ચા કરી હતી.

Related News