રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડના મતદારો માટે લખ્યો ભાવનાત્મક પત્ર
- Published By : Jago News
- Updated on : 2024-06-24 11:49:44
નવી દિલ્લી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં તેમની લોકસભા સીટ વાયનાડના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે વાયનાડ સીટ છોડવા પાછળની પોતાની પીડા અને ત્યાંના લોકો તરફથી મળેલા પ્રેમ વિશે લખ્યું છે. તેમણે કહ્યું કે હું તમને પાંચ વર્ષ પહેલા મળ્યો હતો. હું તમારા સમર્થનની આશાએ તમારી પાસે આવ્યો હતો. ત્યારે હું તમારા માટે અજાણ્યો હતો, છતાં તમે મારા પર વિશ્વાસ કર્યો. રાહુલે આગળ લખ્યું કે જ્યારે હું રોજેરોજ અપમાનનો સામનો કરી રહ્યો હતો ત્યારે તમારા બિનશરતી પ્રેમે મારી રક્ષા કરી હતી. તમે મારું આશ્રય, ઘર અને કુટુંબ બન્યા. એટલા માટે તમારાથી દૂર થવાના નિર્ણયને મીડિયાને જણાવતી વખતે તમે મારી આંખોમાં ઉદાસી જોઈ હશે. હકીકતમાં, રાહુલ ગાંધી લોકસભાની બે બેઠકો- વાયનાડ અને રાયબરેલી પરથી જીત્યા છે, પરંતુ કાયદા અનુસાર તેમણે એક બેઠક ખાલી કરવી પડશે. રાહુલ રાયબરેલી બેઠક જાળવી રાખશે અને વાયનાડ લોકસભા બેઠક ખાલી કરશે. રાહુલની બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.
કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ 17 જૂને જાહેરાત કરી હતી
17 જૂને યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી
વાયનાડ બેઠક છોડીને રાયબરેલીથી સાંસદ રહેશે. પ્રિયંકા ગાંધી તેમના સ્થાને વાયનાડથી
ચૂંટણી લડશે. પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે
કહ્યું હતું કે- વાયનાડ અને રાયબરેલી સાથે મારું ભાવનાત્મક જોડાણ છે. હું છેલ્લા 5 વર્ષથી વાયનાડથી સાંસદ
હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાડ્રા
વાયનાડથી ચૂંટણી લડશે, પરંતુ હું સમયાંતરે વાયનાડની મુલાકાત પણ લઈશ. રાયબરેલી સાથે મારો લાંબો સંબંધ
છે, મને ખુશી છે કે મને ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, પરંતુ તે એક મુશ્કેલ
નિર્ણય હતો.