logo

header-ad

Twitterના CEO Parag Agrawal ને હટાવ્યા તો Elon Musk ને ચૂકવવી પડશે આટલી મોટી કિંમત

  • Published By : Jago News
  • Updated on : 2022-04-26 11:20:18

ન્યૂયોર્ક: સોમવારે અરબપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. આ સાથે જ વર્ષ 2013 થી પબ્લિક ચાલી રહેલી કંપની હવે પ્રાઇવેટ થઇ ગઇ. ટ્વિટરના વેચાયા બાદ જ કંપનીના CEO પરાગ અગ્રવાલની વિદાયની અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ તેને લઇને કોઇ નક્કર જાણકારી સામે આવી નથી. 

વિદાય થઇ તો શું-શું મળશે પરાગ અગ્રવાલને
રિસર્ચ ફર્મ ઇક્વિલરના અનુસાર ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલને લઇને કંપની વેચાવવાના 12 મહિનાની અંદર ટ્વિટરથી નિકાળવામાં આવે છે, તો તેમને લગભગ 4.2 કરોડ ડોલર મળશે. એક ટ્વિટર પ્રતિનિધિના ઇક્વિલરના અનુમાન પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી. 

કેમ થઇ છે Parag Agrawal ની વિદાયની ચર્ચા?
ટ્વિટર બાયઆઉટે અગ્રવાલના ભવિષ્ય પર શંકા વ્યક્ત કરી છે, અને હજુ પણ સ્પષ્ટ નથી કે શું તે ટોચ પર બની રહેવા માંગશે, મસ્ક હવે મંચના ટોચ પર છે. મસ્ક પહેલાં જ કહી ચૂક્યા છે કે તેમને ટ્વિટરના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી. ટેસ્લાના સીઇઓને મંચ વેચવાનો નિર્ણય એ પણ સંકેત આપે છે કે બોર્ડ કોઇપણ પ્રકારે અગ્રવાલની ક્ષમતાઓમાં આસ્વત નથી, જેમણે નવેમ્બર 2021 માં જૈક ડોરસી પાસેથી પદભાર સંભાળ્યો હતો, કારણ કે કંપની પર્યાપ્ત લાભ કમાઇ રહી ન હતી. 

નવેમ્બરમાં જ બન્યા હતા ટ્વિટરના સીઇઓ
પરાગ અગ્રવાલે પહેલાં ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર હતા, ગત વર્ષે નવેમ્બરમાં જ તેમને ટ્વિટરના સીઇઓ બનાવ્યા હતા. ટ્વિટર પ્રોક્સીના અનુસાર વર્ષ 2021 માટે તેમનું કુલ કંપનસેશન 3.04 કરોડ હતું, જેમાં મોટાભાગના સ્ટોક એવોર્ડના રૂપમાં મળ્યું હતું. 

 

Related News