logo

header-ad

વધુ એક કપલના છૂટાછેડા:ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષના 18 વર્ષના લગ્નજીવનનો અંત, એક્ટરે કહ્યું, ‘પોતાને સમજવા માટે સમય જોઈએ છે’

  • Published By : Jago News
  • Updated on : 2022-01-18 10:25:17

ચેન્નઈ: સાઉથ એક્ટર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત લગ્નજીવનનાં 18 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયાં છે. બંને સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તૂટેલા સંબંધની વાત શેર કરી. ધનુષ અને ઐશ્વર્યાને સાઉથમાં પાવર કપલ માનવામાં આવતું હતું. તેવામાં આ ખબર આવ્યા પછી ફેન્સને તો જોરદાર ઝટકો લાગ્યો છે.

અમારા નિર્ણયનું સન્માન કરો
ધનુષે છૂટાછેડા વિશે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરન્ટ્સ અને એકબીજાના શુભચિંતક બનીને ગ્રોથ, સમજણ અને પાર્ટનરશિપથી લાંબી સફર કરી છે. આજે અમે જે જગ્યાએ ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.

ઐશ્વર્યાએ પણ આવી જ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘કેપ્શનની કોઈ જરૂર નથી...માત્ર તમારી સમજણ અને પ્રેમની જરૂર છે!

વર્ષ 2004માં લગ્ન કર્યાં હતાં
ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમના સંતાનનું નામ યાત્રા અને લિંગા છે. ધનુષે ઐશ્વર્યાના ડિરેક્શનમાં બનેલી પ્રથમ ફિલ્મ '3'માં કામ કર્યું છે. આ ફિલ્મનું સોંગ કોલાવેરી ડી વર્ષ 2011નું સૌથી વધારે હિટ સોંગ હતું.

માત્ર 3 મહિનામાં ફેન્સને બીજો ઝટકો
આની પહેલાં 2 ઓક્ટોબરના રોજ સાઉથની સુપરહિટ જોડી સમંથા અને નાગા ચૈતન્યએ પણ ડિવોર્સનો નિર્ણય લીધો હતો. 6 ઓક્ટોબર, 2021ના રોજ કપલના લગ્નનાં ચાર વર્ષ પૂરા થવાનાં હતાં, પરંતુ એ પહેલાં જ બંને અલગ થઈ ગયાં. 3 મહિનાની અંદર ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર સાંભળીને ચાહકોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે.

Related News