logo

header-ad

શાહરુખ ખાનના મન્નત પહોંચ્યા આર્યન ખાન, ઢોલ વગાડીને ફેન્સે કર્યુ સ્વાગત

  • Published By : Jago News
  • Updated on : 2021-10-30 15:26:05

મુંબઈ: બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન આખરે જેલમાંથી બહાર આવી ગયા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં ફસાયેલા આર્યન ખાન આર્થર રોડમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યનને લેવા શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ પહોંચ્યા હતા. આર્યન હવે પોતાના ઘરે મન્નત પહોંચી ગયા છે. આર્યન ખાનના ફેન્સ મન્નતની બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા. જેમણે ઢોલ વગાડીને આર્યનનુ સ્વાગત કર્યુ છે. આર્યનનો પરિવાર તેમના ઘરે પાછા આવવાથી ઘણા ખુશ છે.

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન આજે જેલમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યનની મુક્તિની પ્રક્રિયા પૂરી થયા બાદ તેમને ઘરે લઈ જવા માટે પિતા શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. આર્યન ખાન, પિતાની ગાડીમાં ઘરે ગયા છે. આર્યનના ઘરે પાછા આવવાથી તેમના પરિવાર અને નજીકના સંબંધીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.

આર્યન ખાન જેલમાંથી મુક્ત

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન 28 દિવસ બાદ આર્થર રોડ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યન પોતાના પિતા શાહરુખ ખાનની ગાડીમાં બેસીને મન્નત જવા રવાના થઈ ગયા છે. આર્યન ખાનની મુક્તિ પર તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. શુક્રવારથી જ શાહરુખ ખાનના ઘરમાં ઉત્સવનો માહોલ છે.

આર્યનની મુક્તિની પ્રક્રિયા થઈ પૂર્ણ

જેલ અધિકારીઓએ જણાવ્યુ કે આર્યનની મુક્તિની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આર્યન ખાનની સાથે-સાથે અન્ય લોકોની મુક્તિની પ્રક્રિયા ખતમ થઈ ચૂકી છે. પેપરવર્ક પૂર્ણ થઈ ગયુ છે.

સેલેબ્સે વ્યક્ત કરી ખુશી

આર્યન ખાનની ઘર વાપસીએ બોલીવુડનુ દિલ ખુશ કરી દીધુ છે. બોલીવુડના સેલેબ્સ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઉર્મિલા માતોંડકરે ટ્વીટ કરીને શાહરુખ ખાનને અભિનંદન પાઠવ્યા છે.


 

Related News